Wednesday, August 9, 2017

વિશ્વ આદિવાસી દિવસ

   આજે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે..

વિશ્વ આદિવાસી દિવસે થોડુંક જાણવા જેવું...

પ્રારંભ.: વર્ષ 1993 માં વિશ્વના બધા દેશોએ યુનો ના વડા મથકે 
            ભેગા થઈ ને 9 મી ઓગષ્ટ ના રોજ વિશ્વ આદિવાસી
            દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો. અને 1994 થી
            શરૂઆત થઈ..

વિશ્વ આદિવાસી દિવસનો પ્રથમ દાયકો 1995 થી 2004 સુધીનો રહ્યો...જે પ્રથમ આંતરરાષ્ટ્રીય દાયકા તરીકે ઓળખાયો.

2004 માં યુનોએ જાહેર કર્યું કે બીજો આંતરરાષ્ટ્રીય દાયકો
2005 થી 2015 સુધીનો રહેશે...જેની થીમ એક દાયકાની કાર્યવાહી અને પ્રતિષ્ઠા રાખવામાં આવી....
વિશ્વના કુલ 90 દેશોમાં અંદાજીત 370 લાખ લોકો વસે છે..
અને જેઓ 5000 જેટલી જુદી જુદી સંસ્કૃતિ નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓની વસ્તી વિશ્વના કુલ વસ્તીના 5 % થી પણ ઓછી વસ્તી ધરાવે છે. 2017 ની થીમ મૂળ લોકોનો અધિકાર પર ઉજવાશે..જે મૂળ લોકોનો અધિકાર કે જે 13 મી સપ્ટેમ્બર 2007 ના રોજ જાહેર કરાયું હતું ..તેની દશમી વર્ષ ગાંઠ છે.

આઝાદી ચળવળમાં ભાગ લેનારા આદિવાસી નેતાઓ...
1.બિરસા મુંડા -- ઝારખંડ
2.લક્ષમણ નાયક -- ઓરિસ્સા
3.બાબા તિલકા માંઝી -- ઝારખંડ
4.કોમરામ ભીમ -- તેલંગાણા
5. સિંધુ અને કાનું મૂરમુ-- ઝારખંડ
6. ગુરુ ગોવિંદસિંહ --- માનગઢ ટેકરી સંતરામપુર

અંગ્રેજી માં વાંચવા માટે અહીં ક્લિક કરો

No comments:

Post a Comment